Devam Jayantirambapa યૂટ્યૂબ ચેનલમાં આપનું સ્વાગત છે.
પૂ.જયંતિરામબાપા વર્તમાન સમયમાં ઉગમફોજના સંત અને મુખ્ય વક્તા પુરુષ છે. ઉગમફોજના આદ્ય પુરુષ સંત શ્રી ઉગમ સાહેબની અલૌકિક જ્ઞાન પરંપરાનો પ્રવાહ પૂ.લાભુદાદા જેવા મહાપુરુષે લોકસમાજમાં વહાવ્યો અને પૂ.જયંતિરામબાપા એમના સેવા, સત્સંગ, સ્મરણ, જ્ઞાન, ધ્યાન, આધિનતા જેવા મુખ્ય સિદ્ધાંતોને પોતાના સત્સંગમાં વણી લઈને અખંડ જ્ઞાનગંગાને વહાવી રહ્યા છે.
પૂ.જયંતિરામબાપા તેજસ્વી સંત શ્રી દેવારામબાપાના નાદ બુંદ શિષ્ય છે અને વર્તમાન સમયે ભેડાપીપળીયામાં પૂ.દેવારામબાપા આશ્રમમાં બિરાજે છે. અહીં દર મહિનાની સુદ બીજમાં ભજનસત્સંગ ઉત્સવ થાય છે. આ ઉપરાંત ઉગમફોજના વિવિધ તીર્થધામો તેમજ સત્સંગીઓ દ્વારા પણ ગુજરાત અને ભારતભરમાં પૂ.જયંતિરામબાપાના સત્સંગનું આયોજન કરવામાં આવે છે.
ભારતીય સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતા પૂ.જયંતિરામબાપાના આ સત્સંગનો લાભ જીજ્ઞાસુ સાધકોને ઘરે બેઠા મળી રહે તે આ ચેનલ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે.
ખાસ નોંધ : આ ચેનલ પર આવતા તમામ વિડીયો તથા ઓડિયો અન્ય કોઈપણ જગ્યાએ કોપી કરીને મૂકવા નહી અન્યથા કોપીરાઈટ અધિનયમ અંતર્ગત તે ગુનાપાત્ર ઠરશે.